ખંભાળિયા નજીક પખવાડિયાથી કુવામાં ખાબકેલી બિલાડીનું સફળ રેસ્ક્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં આજથી આશરે બે સપ્તાહ પૂર્વે એક બિલાડુ પડી જતા આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અહીંના એનિમલ કેર ગ્રુપના કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. આથી એનિમલ કેર ગ્રુપના સેવાભાવી કાર્યકર દેશુરભાઈ ધમા તથા તેમની ટીમ તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને કૂવામાં ખાબકેલી બિલાડીને બે કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. બાદમાં તેને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

આ માટે દેસુરભાઈ ધમા સાથે પૂર્વ ફૌજી સંજીવકુમાર, રામદે ગઢવી, રવિ વકાતર પણ જોડાયા હતા.