ભાણવડમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના આયોજકો તથા શાસ્ત્રીજીને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના માનપર ગામે પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના અગ્રણી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા ગત તારીખ 21 થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય શુભારંભ થયો છે. તેનો લાભ દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાજનો લઇ રહ્યા છે.

આ ભાગવત કથા દરમિયાન કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ સાથે આયોજક મુળુભાઈ બેરા તેમના પુત્ર હર્ષદભાઈ તથા સંદીપભાઈને ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રઘુવંશી અગ્રણી તથા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તથા તાલુકા પંચાયતના સદસ્ય ધેલુભા જાડેજા દ્વારા દ્વારકાધીશજીની છબી તથા ઉપરણા ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.