ખંભાળિયામાં વેદ નવોદય એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉક્ટર નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉક્ટર વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.