દ્વારકાના અગ્રણી અશ્વિનકુમાર ગોકાણીનો આજે જન્મદિવસ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના અગ્રણી અશ્વિનકુમાર ચુનીલાલ ગોકાણીનો આજે 79મો જન્મદિવસ છે. અશ્વિનભાઈએ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ક્લાર્ક તરીકે સર્વિસ જોઈન કરી પ્રગતિ કરી અંતે મેનેજર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ હાલ સેવામય જીવન જીવી રહ્યા છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમજ તેમના દ્વારા દ્વારકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. તેઓ રઘુવંશી સમાજમાં પણ અગ્રેસર રહી કાર્ય કરી રહ્યા છે. તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રો અને અગ્રણીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.