ખંભાળિયામાં રવિવારે દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી દ્વારકાધીશ હવેલી ખાતે આગામી રવિવાર તારીખ 1 મે ના રોજ દ્વારકાધીશ પ્રભુના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાંજે 5 થી 8 દરમ્યાન કુંડવાળાના દર્શન થશે. આ આયોજન દરમિયાન પોરબંદરના પૂજ્ય ગો. 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. જ્યાં સાંજે છ વાગે આરતી તથા વચનામૃત કરવામાં આવશે. આ ઉત્સવ દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.