ઓખાના મંદિરમાં તસ્કરો ખાબક્યા : રોકડ રકમની ચોરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામાં ફિશરીઝ ક્વાર્ટર પાસે આવેલા જૂના ખોડીયાર મંદિરમાં ગઈકાલે ગુરૂવારે તસ્કરોએ ખાતર પાડી અહીં આવેલા એક રૂમમાં રહેલી લાકડાની પેટીના તાળા તોડી, આ પેટીમાં રાખવામાં આવેલી રૂપિયા 45 હજારની રોકડ રકમ ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે ઓખા મરીન પોલીસે ઓખાના રહીશ રાજુભા લાખાભા સુમણીયાની ફરીયાદ પરથી પોલીસે કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.