નાતના દાતા પરિવારનું સન્માન કરાયું
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામના જાણીતા વેપારી તેમજ લોહાણા અગ્રણી અરવિંદભાઈ વલ્લભદાસ પંચમતીયા પરિવાર દ્વારા સલાયાની લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી સમાજના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ્ઞાતિ ભોજનમાં સલાયા રઘુવંશી અગ્રણી અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા નાતના મુખ્ય આયોજક અને દાતા પરિવારના અરવિંદભાઈ, મોહનભાઈ તેમજ તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સલાયા પથંકના મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે રાત્રે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.