દ્વારકામાં સદ્દગતની પુણ્યતિથિ નિમિત્તે ભજનસંધ્યા તથા સમુહભોજન યોજાયા

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સ્વર્ગસ્થ અમૃતલાલ જેઠાલાલ માવાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી પ્રથમ વાર્ષિક તિથિની ગઈકાલે ઉજવણી થઈ હતી.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજકરાડી ખાતે રહેતા અને ઓખા નગરપાલિકાના પૂર્વ ઊપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલ ચેતનભાઇ માવાનીના પિતાશ્રી અમૃતલાલ જેઠાલાલભાઈ માવાણી (જુના બેરાજાવાળા)ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મીઠાપુર, સૂરજકરાડી, ઓખા, આરંભડા લોહાણા મહાજન જ્ઞાતિ ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપવા ભજનસંધ્યા તથા સમુહભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને ચેતનભાઇ માવાણીના પિતા એટલે કે અમૃતલાલભાઈ જેઠાલાલભાઈ માવાણીને શ્રદ્ધાંજલિ આપી અને આશરે ૨૫૦૦ જેટલા જ્ઞાતિજન લોકોએ સમુહભોજન સાથે લીધું હતું અને ત્યારબાદ લોકોને જય અંબે ગરબી મંડળ ગ્રુપ દ્વારા ભજનસંધ્યાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.