ખંભાળિયામાં આવતીકાલે પાંચ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ચોમાસાની ઋતુ પૂર્વેની પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે વીજ લાઈનના સમારકામ ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે રવિવારે ખંભાળિયા શહેરના ટાઉન 2, અર્બન ફીડર વિસ્તારનો વીજપુરવઠો સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં નવાપરા, બેઠક રોડ, શ્રીજી સોસાયટી, મહાપ્રભુજી નગર, મામલેદાર કચેરી, પ્રાંત કચેરી, સ્ટેશન રોડ, યોગેશ્વર નગર, દતાણી નગર, જડેશ્વર રોડ, ઝેનિથ સ્કૂલ વિસ્તાર, કચોરીયા વાડી વિગેરે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.