વિકેન્ડ સાથે અમાસ હોવાથી તીર્થનગરી દ્વારકામાં સહેલાણીઓ ઉમટી પડ્યા

ગોમતીમાં સ્નાન બાદ જગતમંદિરમાં પ્રભુના દર્શન કરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા

દ્વારકા : આજે અમાસનાં દિવસ અને વિકેન્ડ હોવાથી દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશના દર્શન કરવા તથા ગોમતી ઘાટ ખાતે સ્નાન કરવા ભક્તો વ્હેલી સવારથી ઉમટી પડ્યા હતા.

આજે શનિવાર અને અમાસના પવિત્ર દિવસે દેવભૂમિ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગોમતી ઘાટ પર સ્નાન કરી બાદમાં જગતમંદિર ખાતે શ્રીદ્વારકાધીશના દર્શન કરી પોતાની યાત્રા પૂર્ણ કરતા હતા. હાલ શનિવાર અને રવિવારની રજાઓ અને સાથે સાથે અમાસનો દિવસ હોવાથી દ્વારકામાં વ્હેલી સવારથી જ ભીડ જોવા મળી હતી અને જગતમંદિર તેમજ પવિત્ર ગોમતીઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. અને દર્શન સાથે અમાસ નિમિત્તે સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.