આંગણવાડીના બે કુપોષિત બાળકોને સુપોષિત કરવા દત્તક લેતા ઓખા નગરપાલિકાની ન્યાય સમિતિના ચેરમેન

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની ન્યાય અને કાયદા સમિતિના ચેરમેને આંગણવાડીના બે કુપોષિત બાળકોને સુપોષિત કરવા દત્તક લીધા છે.

ઓખા નગરપાલિકાની ન્યાય અને કાયદા સમિતિના ચેરમેન સીમાબેન કિશોરભા માણેક એ ગાંધીનગરી, શ્રીરામ મંદિર વિસ્તારની આંગણવાડી કેન્દ્ર નંબર 72ના બે કુપોષિત બાળકોને દત્તક લીધેલ છે. જે બંને બાળકો કુપોષિતમાંથી સુપોષિત ના થાય ત્યાં સુધી પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરવા દત્તક લીધેલ છે.