ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપી, કાઢી મૂકતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતી અને પીઠાભાઈ પબાભાઈ આંબલીયાની 26 વર્ષીય પરિણીત પુત્રી ભાવનાબેન પ્રવીણભાઈ લગારીયાને તેણીના લગ્નજીવન દરમ્યાન અહીંના વિરમદડ ગામે રહેતા પતિ પ્રવીણ રણમલ લગારીયા, સસરા રણમલભાઈ સામતભાઈ, સાસુ મોતીબેન રમણભાઈ અને નણંદ દક્ષાબેન રણમલભાઈ તથા સીભીબેન રમણભાઈ દ્વારા અવારનવાર બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.