ખંભાળિયાની પરણિતાને ત્રાસ આપવા સબબ મોરબીના ત્રણ સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ખંભાળિયામાં કુંભારપાડા વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બાજુમાં રહેતી અને શૈલેષભાઈ નવરંગલાલ સાતા નામના વિપ્ર બ્રાહ્મણની 23 વર્ષીય પરિણીત પુત્રી નિરાલીબેન દર્શનભાઈ એનને તેણીના લગ્નજીવન દરમિયાન તેણીના મોરબીના જેલ રોડ વિસ્તારમાં રહેતા પતિ દર્શન હર્ષદભાઈ એન, સસરા હર્ષદભાઈ નારણદાસ એન તથા સાસુ પૂજાબેન દ્વારા મેણાં-ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કરીને ત્રાસ આપવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરિયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ) 323, 504 થતા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.