દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારોના સંદર્ભમાં હિન્દૂ તથા મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં આવનાર મુરુભા માણેકની ૧૫૪મી પુણ્યતિથિ નિમિતે વાઘેર સમાજ દ્વારા બાઇક રેલી રાખેલ છે. અને પરશુરામ જ્યંતી અને ઈદ તહેવાર પણ છે. જેના અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દૂ તથા મુસ્લિમ આગેવાનો સાથે તકેદારી રૂપે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.