ખંભાળિયામાં ચકલીની સેવા માટે અનોખો સેવાયજ્ઞ

ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપના ઉપક્રમે ગઈકાલે રવિવારે સાંજે અત્રે હરસિદ્ધિનગર વિસ્તાર ખાતે ચકલીની પ્રજાતિ માટે સહાયભૂત આશયથી ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બે હજાર જેટલા ચકલી ઘર તથા એક હજાર જેટલા પાણીના કુંડા લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. એનિમલ કેર ગ્રુપના કાર્યકરોની આ વધુ એક સેવાકીય પ્રવૃત્તિ લોકોમાં આવકારદાયક બની રહી હતી.