દુ:ખાવાથી કંટાળીને ખંભાળિયાની યુવતીએ જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ડાડુભાઈ ધનાભાઈ છૈયા નામના 42 વર્ષના યુવાનની પુત્રી વર્ષાબેને તેણીના માથા તથા પગના સતત દુઃખાવાના કારણે કંટાળીને ઘઉંમાં નાખવાની ગોળીઓ ગળી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલ જાહેર કરી હતી. આ બનાવની જાણ ડાડુભાઈ ધનાભાઈ છૈયાએ અહીંની પોલીસને કરી છે.