ખંભાળિયાના યુવા કાર્યકરની જાયન્ટસ વેલફેરમાં યુનિટ ડાયરેક્ટર તરીકે નિમણૂક

જામ ખંભાળિયા : ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંદીપભાઈ બી. ખેતીયા કે જેઓએ સતત ત્રણ વર્ષ સુધી અહીંના જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી, તેમના કાર્યની નોંધ લઇ અને જાયન્ટ્સ અગ્રણી જયદેવભાઈ ભટ્ટે ગુજરાત યુનિટ ડાયરેક્ટર તરીકે સંદીપભાઈ ખેતિયાની નિમણુંક કરી છે. સંદીપભાઈની આ વરણીને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના હોદ્દેદારોએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી છે.