દ્વારકામાં આધેડ મહિલાએ સોનાનો ચેન મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં દ્વારકા તાલુકા હોમ ગાર્ડ અધિકારીના ધર્મપત્નીએ પોતાને અચાનક મળેલો સોનાનો ચેન મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.

ગઈકાલે તા.3/5/2022ના રોજ દ્વારકાની અંબુજા સોસાયટીમાંથી મંજુલાબેન ભરતભાઈ કારડીયા કે જેઓ દ્વારકા તાલુકા હોમ ગાર્ડ અધિકારીના ધર્મપત્ની છે, તેઓને એક સોનાનો ચેન મળી આવેલ હતો. જેના મૂળ માલિકની શોધખોળ કરતા મીઠાપુરવાળા પાર્થ હરેશભાઈ પાણખણીયાનો ચેન હોવાનું જણાતા મૂળ માલિકની ખરાઇ કરીને ગઈકાલે તા. 5ના રોજ ઇન્દ્રભારતી બાપુના આશ્રમ, દ્વારકામાં પરત આપવામાં આવ્યો હતો. આમ, આધેડ મહિલાએ સોનાનો ચેન મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.