ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા આયોજન
દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ક્રાંતિવીર મુરુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે બાઈક રેલી, શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંગ્રેજો સામે લડનાર ક્રાંતિવીર મુરુભા માણેકની આજે ૧૫૪મી પુણ્યતિથિ છે. જે નિમિત્તે સમગ્ર ઓખા મંડળમાં બાઈક રેલી, શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર દ્વારકા તાલુકામાં બાઈક રેલીમાં ક્ષત્રિય વાઘેર યુવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બજારોમાં રાસની રમઝટ બોલવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પણ જોડાયા હતા. સાંજે દ્વારકામાં રેલી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.