ખંભાળિયામાં સોમવારથી શ્રીમદ્ ભાગવત સુબોધિનીજી સત્સંગ સમારોહનું આયોજન

મહાપ્રભુજીના બેઠકજી ખાતે સાંજે ચારથી સાડા સાત વાગ્યા સુધી સત્સંગ યોજાશે

જામ ખંભાળિયા : ખંભાળિયાના મહાપ્રભુજીના પ્રિય વૈષ્ણવો દ્વારા આગામી સોમવાર તારીખ 9 થી રવિવાર તારીખ 15 મે સુધી શ્રીમદ્ ભાગવત સુબોધીનીજી સત્સંગ સત્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં રામનાથ સોસાયટીના યમુના સત્સંગ મંડળના નેજા હેઠળ અહીંની મહાપ્રભુજીની સુવિખ્યાત 57 મી બેઠકજી ખાતે દરરોજ સાંજે ચારથી સાડા સાત વાગ્યા સુધી સત્સંગ યોજાશે. જેમાં ગુરૂવાર તારીખ 12 મીના રોજ અગિયારસના પવિત્ર દિને નંદ મહોત્સવનું આયોજન થયું છે.

આ સત્સંગ કથાના પ્રારંભે આગામી સોમવારે સાંજે ચાર વાગ્યે અહીંના આનંદ કોલોની વિસ્તારમાં વિનુભાઈ બરછા (ઘી વાળા)ના નિવાસ સ્થાનેથી પોથી વરણાંગી નીકળશે. આ સમગ્ર આયોજન માટે મનોરથી હીનાબેન જયસુખભાઈ સોનૈયા તથા જયસુખભાઈ પીંડારાવારા દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આ ધર્મોત્સવ અંગે વધુ માહિતી માટે જયસુખભાઈ સોનૈયા, જીતુભાઈ સાયાણી તથા વિનુભાઈ બરછાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.