કામ ધંધાના અભાવે વ્યથિત અવસ્થામાં ભરાણાના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રદિપસિંહ સરદારસંગ જાડેજા નામના 35 વર્ષના યુવાન પાસે હાલ કોઈ કામ ધંધો ન હોવાથી તથા તેમના માતા બીમાર રહેતા હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા નાસીપાસ થયેલી હાલતમાં શનિવારે તેમણે પોતાના ઘરની ઓસરીમાં ગળાફાંસોને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ નવસંગ સરદારસંગ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને જાણ કરી છે.