આસોટા ગામે આલબાઈ માતા મંદિરના જીર્ણોદ્ધારમાં આર્થિક યોગદાન આપનાર દાતાનું સન્માન

સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી અગ્રણી દ્વારા દાતાઓને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના આસોટા ગામે બિરાજતા આલબાઈ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં મહત્વનું આર્થિક યોગદાન આપનાર દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

દ્વારકાના આસોટા ગામે બિરાજતા આલબાઈ માતાજીના મંદિરના જીર્ણોધારના મહત્વનું આર્થિક યોગદાન આપનાર દાતા પરિવારના વડીલ સભ્ય સલાયા નિવાસી ધનજીભાઈ નારણભાઈ ડોડીયા (લુહાર) તેમજ દિનેશભાઈ નારણભાઈ ડોડીયા (લુહાર)નું સન્માન સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. આ તકે તેમના પરિવારના પરેશભાઈ ડોડીયા તેમજ તમામ પરિવારજનો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ધર્મપ્રેમી જનતાએ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મલાભ લીધો હતો.