લાંબાના યુવાને અકળ કારણોસર આપઘાત કર્યો: પોલિસ તપાસ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા સુરેશભાઈ સોમાભાઈ હાથીયા નામના 30 વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની જાણ મૃતકના પિતા સોમાભાઈ જેઠાભાઈ હાથીયાએ કલ્યાણપુર પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.