મીઠાપુરમાં ચમત્કારિક હનુમાનજી મંદિરે બ્રહ્મભોજન કરાવતા સેવાભાવી

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરે સેવાભાવીએ બ્રહ્મભોજન કરાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ટાટા કંપનીના મેઈન ગેટની સામે આવેલ ચમત્કારિક હનુમાનજી મહારાજના મંદિરે અમદાવાદ નિવાસી પાર્થ અરૂણભાઇ પટેલ દ્વારા બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. તેમણે આ બ્રહ્મભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ ચમત્કારી હનુમાનજી મહારાજ મંદિરે બ્રહ્મભોજનમાં ચમત્કારી હનુમાનજી ટીમ દ્વારા પોતાનો ભાગ ભજવયો હતો.