બાઇક સ્લીપ થતાં ઘવાયેલા વાનાવડના યુવાનનું મૃત્યુ

 

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા જગજીતસિંહ કિશોરસિંહ જાડેજા નામના 28 વર્ષીય ક્ષત્રિય યુવાન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના મોટરસાયકલ પર વાનાવડ નજીકથી જઈ રહ્યા હતા, ત્યારે તેમની મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા રીટાબા કિશોરસિંહ જાડેજાએ ભાણવડ પોલીસને કરી છે.