વીજશોક લાગતા શિવરાજપુરના મહિલાનું મૃત્યુ

 

જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે રહેતા રાયબાઈ કનુભા નાયાણી નામના 49 વર્ષના હિન્દુ વાઘેર મહિલા ગઈકાલ તારીખ 11 મી ના રોજ પોતાની વાડીમાં બોર માટે ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પતિ કનુભા કનૈયાભા નાયાણીએ દ્વારકા પોલીસને કરી છે.