ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે શનિવારે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કુવાડિયા ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ગોપાલક સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ આગામી શનિવાર તારીખ 14 મી ના રોજ સાતમા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ પ્રસંગે તોરણીયા ધામના મહંત પૂજ્ય રાજેન્દ્રદાસબાપુ તથા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ભરવાડ સમાજના દાનવીર ભામાશા ગોરધનભાઈ સરસીયા પણ સાથે જોડાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 25 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે.

આ કાર્યક્રમમાં જામનગરની પ્રખ્યાત રાજશક્તિ રાસ મંડળી તથા લોકગાયક રીન્કુબેન ભરવાડ અને અનિલભાઈ ભરવાડ તેમની ટીમ સાથે ચુડા છે

આ સમગ્ર આયોજન માટે મુખ્ય આયોજક રમેશભાઈ ટોયટા, રાજુભાઈ સરસીયા, ચોથાભાઈ લાંબરીયા, બાબુભાઈ કરીર, ભુરાભાઈ ટોયટા તથા સમસ્ત ભરવાડ સમાજના યુવાનો-કાર્યકરો અને જ્ઞાતિજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.