પત્ની રિસામણે જતા ભાણવડના યુવાને ગળાફાંસો ખાધો

 

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા રમેશભાઈ કરસનભાઈ વાઘેલા નામના 35 વર્ષના યુવાનના પત્ની છેલ્લા સાતેક માસથી પોતાના માવતરે રિસામણે ગયા હોવાથી રમેશભાઈ દ્વારા તેમને પરત લાવવા માટે અવારનવાર કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ જતા અને તેમના પત્ની પરતના આવતા આ બાબતથી સતત ચિંતામાં રહેતા રમેશભાઈ વાઘેલાએ ગત તારીખ 11 મી ના રોજ પોતાના હાથે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા કરશનભાઈ કેશાભાઈ વાઘેલા ભાણવડ પોલિસને કરી છે.