દ્વારકામાં મંગળવારે મુકતાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ

 

દ્વારકા : દ્વારકામાં મંગળવારે મુકતાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષપંચ અગ્નિ અખાડાના સભાપતિ સનાતન સેવા મંડળના અધ્યક્ષ મુકતાનંદ બાપુ ચાપરડાનો આગામી તારીખ 17 ને મંગળવારના રોજ 640મો પ્રાગટ્ય દિવસ હોય, તો સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ પંજાબ સુધી બાપુની ક્રાંતિકારી વિચારધારા ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ અને સેવાની સુવાસ ફેલાયેલી હોય, ત્યારે 64 જગ્યા પર રક્તદાન શિબિર થાય એવું આયોજન કરીને તમામ અનુયાયી સમુદાય એવમ બાપુ તેમજ સમાજ સાથે જોડાયેલા દરેક સાધુ-સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ સૌ સાથે મળી અને સંતને સાજે એવું સન્માન આપી રહ્યા છે.

ત્યારે દ્વારકામાં પણ સનાતન સેવા મંડળ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન સનાતન સેવા મંડળ દ્વારકા, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા, યોગ પરિવાર દ્વારકા, બજરંગ દળ દ્વારકા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 17 ને મંગળવાર સવારે 9:00 થી બપોરના 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. તો દ્વારકા શહેર તેમજ આજુબાજુમાં રહેતા સૌને માનવસેવા પ્રેમીઓ આ ભગીરથ સેવાયજ્ઞમાં જોડાય એવું તમામ સહયોગી સંસ્થાઓએ અનુરોધ કરે છે