જામ ખંભાળિયા : સવિતાબેન ધરમશીભાઈ વિઠલાણીનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. ધરમશી તુલસીદાસ વિઠલાણી (આસોટા વાળા) ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 89) તે વિનોદભાઈ, અરુણભાઈ અને દિલીપભાઈ વિઠલાણી તથા ઉષાબેન (ખંભાળિયા), કુસુમબેન (પોરબંદર), અને દક્ષાબેન (સુરત) ના માતૃશ્રી તેમજ ડો. પારસ વિઠલાણી (વિઠલાણી જનરલ હોસ્પિટલ) તથા જય અને શ્યામના દાદીમા તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તથા પિયરપક્ષની સાદડી સોમવાર તા. 16 ના રોજ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે ચારથી સાડા ચાર સુધી રાખવામાં આવેલ છે.