સુરજકરાડીની પરિણીતાને ત્રાસ આપી, ઘરમાંથી કાઢી મુકતા નડિયાદના સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતી અને દિનેશભાઈ બારાઈની 31 વર્ષીય પરિણીત પુત્રી જીજ્ઞાબેન સેતુલકુમાર લાખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા તેણીના પતિ સેતુલકુમાર પ્રફુલભાઈ લાખાણી, સસરા પ્રફુલભાઈ મેઘજીભાઈ લખાણી અને સાસુ હંસાબેન દ્વારા અવાર નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, છૂટાછેડા આપવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 504 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.