ખંભાળિયા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

307 અરજીઓનો સ્થળ પર નિકાલ

જામ ખંભાળિયા : ગુજરાત રાજયનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનો ઉકેલ તથા સેવાઓ રહેઠાણનાં નજીકનાં સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થાય તેવા આશયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ ”આઠમા તબકકા”નો સેવાસેતુ કાર્યક્રમની શૃંખલા હેઠળ તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારમાં વિવિધ તેર જેટલા વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં જુદા જુદા વિભાગોને લગત નગરપાલિકાના તમામ સાત વોર્ડના રહીશોની કુલ 307 અરજીઓ આવી હતી. જે તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસકપક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા તેમજ શહેર ભા.જ.પ. પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી પીયુષભાઈ કણઝારીયા તથા ઈન્દ્રજીતસિહ પરમાર ઉપરાંત નગરપાલિકાનાં સદસ્યો રેખાબેન ખેતીયા, અજુભાઈ ગાગીયા, મહેશભાઈ રાડીયા સાથે જીજ્ઞેશભાઈ પરમાર, કીશોરભાઈ નકુમ, મુકેશભાઈ કાનાણી, જયેશભાઈ કણઝારીયા, સલાયા ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.