ખંભાળિયા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને પત્રકાર હિતેન્દ્ર આચાર્યનો આજે જન્મદિવસ

શિક્ષણ, સેવા, માનવતા અને લોક પ્રશ્નો હલમાં હંમેશા અગ્રેસર રહેતા હિતેન્દ્રભાઈ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બ્રહ્મ સમાજના અગ્રણી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને પત્રકાર હિતેન્દ્રભાઈ ડી. આચાર્યનો આજે જન્મદિવસ છે.

તા. 16-05-1964 માં જન્મેલા હિતેન્દ્રભાઈ આચાર્ય હાલ છેલ્લા 35 વર્ષથી અહીંની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે તથા આટલા સમયથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે, રાજ્ય આચાર્ય સંઘના રાજ્ય મીડિયા સેલના કન્વીનર તરીકે રામનાથ ગૌશાળાના પ્રમુખ તરીકે, ખંભાળિયા તાલુકા સંયોજક તેમજ અગાઉ બે વખત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે અને હાલ દ્વારકા જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વીનર, પત્રકાર મંડળ, રેલ્વે પેસેન્જર એસો., બ્લાઈન્ડ એસોસિએશન, ખામનાથ મંદિર, પ્રજાબંધુ ફ્રી લાયબ્રેરી, સહિતની વિવિધ સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા હિતેન્દ્રભાઈ આચાર્ય છેલ્લા પાંચ ટર્મથી જામનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે. સેવા, માનવતાવાદી પ્રવૃત્તિ, શિક્ષણ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે અનેક કાર્યો કરીને લોકોના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેતા હિતેન્દ્રભાઈ આચાર્યને આજે તેમના 58મા જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9824235859 અને 6352546146 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.