ઓખામાં તેજસ્વી તરાલાઓનો સન્માન સમારોહ અને સુન્ની સમાજની સમૂહશાદીનું આયોજન

દ્વારકા : અલ હૈદરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓખામંડળમાં વસતા તમામ જ્ઞાતિના તેમજ સુન્ની મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનો સનમાન સમારોહ તેમજ સુન્ની મુસ્લિમ સમાજનો સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે અલ હૈદરી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક જ્ઞાતિ-સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ તેમજ ફકત સુન્ની મુસ્લિમ સમાજના સમુહ શાદીનું આયોજન કરેલ છે.

આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ૧૧ (અગિયાર) દુલ્હા-દુલ્હનના સમુહ લગ્નનું પણ આયોજન કરેલ છે. તેમજ વર્ષ ૨૦૨૧-રરમાં સારી ટકાવારી તેમજ પી.આર.(પર્સેન્ટાઈલ રેન્ક) સાથે પાસ થયેલ ધોરણ ૧ થી સ્નાતક તેમજ અનુ સ્નાતક તથા ઉચ્ચ કક્ષાના કોર્ષમાં અભ્યાસ કરતા ઓખા મંડળમાં વસતા સુન્ની-મુસ્લીમ તથા તમામ સમાજ-જ્ઞાતિના ધો ૯ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું પણ આયોજન તા.ર૬-૬-૨૨ ના રોજ કરેલ છે.

તો આ તકે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમજ વાલીગણએ તેમના વિસ્તારમાં અલ હૈદરી એજયુકેશન એન્ડ ચેરિ. ટ્રસ્ટ દ્વારા નકકી કરવામાં આવેલા સભ્યને તમામ આધાર પુરાવા સાથે નકકી કરેલ સમય મર્યાદામાં પહોચાડી આપવાનું રહેશે. તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમમાં રજુ કરવાના આધાર પૂરાવા તા.૦૫-૦૬-૨૦૨૨ સુધી રજુ કરી આપવાના રહેશે. સન્માન તારીખ ૨૬-૬-૨૨ના રોજ વાહિદ સેનેટરી હાઉસ ઓખા ખાતે બપોરે ૩ વાગ્યે કરાશે.

આધાર પુરાવામાં વર્ષ ૨૦૨૧-રર માં પાસ કરેલ રિઝલ્ટની ઝેરોક્ષ અને આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી રૂ।. 100 છે. ફોર્મ સુરજકરાડી જુમ્મા મસ્જિદની પાછળ, નવનીત હોટેલ વાળી ગલી
(હુશેનભાઈ ગેરેજવાળા – મો.: ૯૮૨૪૮૬૧૧૦૯), ‘અ. વાદિહ સેનેટરી હાઉસ” ઓખા (આરીફભાઈના વાડે, ગાંધીનગરી-ઓખા મો.: ૭૫૭૩૮૪૫૫૧૧), લક્ષ્મી STD-PCO દિવ્યેશભાઈ જટાણીયા (ન્યુ મરચન્ટ એરિયા-મીઠાપુર રેકડી બજાર મો.- ૯૮ર૪૧૮૯૧૭૬) ખાતે ભરી શકાશે.

આ ઉપરાંત, સમુહ લગ્નના રજિસ્ટ્રેશન સુરજકરાડી જુમ્મા મસ્જિદની પાછળ, નવનીત હોટેલ વાળી ગલી (હુશેનભાઈ ગેરેજવાળા – મો. ૯૮૨૪૮૬૧૧૦૯) તેમજ ‘અ. વાદિહ સેનેટરી હાઉસ” ઓખા (આરીફભાઈના વાડે, ગાંધીનગરી-ઓખા મો.: ૭૫૭૩૮૪૫૫૧૧) ખાતે કરાવી શકાશે. સમુહ શાદી માટે સરકારના નિયમ પ્રમાણે દુલ્હા તેમજ દુલ્હનની ઉમર પુરી હોવી જરૂરી છે. દુલ્હા તેમજ દુલ્હનના આધાર પુરાવા જેવાકે જન્મનો દાખલો,
લિવિંગ સટિફિકેટ, પ ફોટા, આધારકાર્ડ, ચુટણીકાર્ડ, રાશનકાર્ડ વગેરે હોવા ફરજીયાત છે. દુલ્હા અથવા દુલ્હન બેમાંથી કોઈપણ એક ઓખા મંડળમાં વસવાટ કરતા હોવા જોઈએ. સમુહ શાદીમાં બન્ને પક્ષે કરેલા મહેમાનોને લાવવા તેનો નિર્ણય ટ્રસ્ટને આધિન રહેશે.
અને દુલ્હા તેમજ દુલ્હનના સોગંદનામાં રજુ કરવા ફરજીયાત છે. (જો સોગંદનામાં કરાવવામાં અડચણ આવતી હોયતો ટ્રસ્ટનો સંર્પક કરો). દુલ્હનની કોઈપણ પ્રકારની ફિ લેવામાં આવશે નહિં પરંતુ દુલ્હાની ફિ લેવામાં આવશે. જમાતની રજા ચીઠ્ઠી રજુ કરવી ફરજીયાત છે. તમામ બાબતમાં ટ્રસ્ટનો નિર્ણય આખરી રહેશે.

સમુહ શાદીની નોંધણી કરવવાની તા. ૦૫-૦૬-૨૦૨૨ સુધી રહેશે તેમજ સમુહ શાદીની તારીખ : ૨૬-૦૬-રરની રહેશે. સ્થળ આરીફભાઈના વાડો ‘‘વાહિદ સેનેટરી હાઉસ” ગાંધીનગરી-ઓખા અને નિકાહનો સમય સવારે ૧૦ વાગ્યે રહેશે.

જે કોઈપણ વ્યકિત ડોનેશન આપવા ઈચ્છતા હોય તેમણે ટ્રસ્ટની ઓફિસે મુલાકાત લેવાની રહેશે. વધુ વિગત માટે મો.: ૯૮૨૪૮૬૧૧૦૯/૭પ૭૩૮૪૫૫૧૧ પર સંપર્ક કરી શકાશે.
SBI Acount No.: 38157529502
IFSC Code : SBIN0000457