રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ચાર ટ્રેનો રદ્

દ્વારકા : સાણંદ સ્ટેશન ખાતે નૉન ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી 4 ટ્રેનો રદ્ કરવામાં આવી છે.

અમદાવાદ-વીરમગામ સેક્શનમાં આવેલ સાણંદ સ્ટેશન ખાતે નૉન ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોકના લીધે રાજકોટ ડિવિઝનથી થઈને જવા વાળી ચાર ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિજનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ રદ્દ થયેલી ટ્રેનોની વિગત આ પ્રમાણે છે.

રદ્દ થયેલી ટ્રેનો:-

1. 20 મે, 2022 ની ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સ્પ્રેસ.

2. 20 મે, 2022 ની ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ.

3. 20 મે, 2022 ની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ.

4. 21 મે, 2022 ની ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ.