ખંભાળિયાના વેપારી સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

જામ ખંભાળિયા : ખંભાળિયાની પેઢી શ્યામ એજન્સીવારા ભરતભાઈ (ફાલ્ગુનભાઈ) શાંતિલાલ સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 22-05-2022 ના રોજ વિશ્વ વિખ્યાત જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રવિવારે સાંજે ચાર વાગ્યે ધ્વજાજી પૂજન બાદ શોભાયાત્રા અને સાંજે છ વાગે દ્વારકાધીશજી મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગે દ્વારકાની લોહાણા મહાજનવાડી ખાતે પ્રભુ પ્રસાદી સહિતના ધર્મમય કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રિતોને ફાલ્ગુનભાઈ સાયાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.