ખંભાળિયામાં તલાટી કમ મંત્રી મંડળની વાર્ષિક સામાન્ય સભા સુપેરે સંપન્ન

27 તલાટીઓને કાયમીના ઓર્ડરો અપાયા

જામ ખંભાળિયા : ખંભાળિયામાં જિલ્લાના તલાટી કમ મંત્રી મંડળની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓના તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તલાટી મંત્રીઓની આ બેઠકમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ તેમજ ટી.ડી.ઓ. પણ ખાસ સામેલ રહ્યા હતા.

તલાટીઓની આ વિશેષ સભામાં જિલ્લાના 27 કરાર આધારિત તલાટી કમ મંત્રીને કાયમી કરવા અંગેના હુકમ (ઓર્ડર) આપવામાં આવ્યા હતા. જે ઉપસ્થિત તલાટીઓમાં ભારે આવકારરૂપ બની રહ્યા હતા. આ સાથે જિલ્લાના તલાટી કમ મંત્રીઓને ફરજ દરમ્યાન પડતી મુશ્કેલીઓનું મંડળ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.