ખંભાળિયામાં દશનામ ગોસ્વામી સમાજ તથા રુદ્રાક્ષ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ સંપન્ન

આયોજકો અને મહાનુભાવોનું સન્માન કરાયું

જામ ખંભાળિયા : ખંભાળિયા ખાતે દશનામ ગોસ્વામી સમાજ અને રૂદ્રાક્ષ સમુહ લગ્ન સમીતી દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહ લગ્નોત્સવ પ્રસંગે હાજરી આપી અને મહાનુભાવો તેમજ આયોજકોનું સલાયા શહેર ભાજપ મહામંત્રી તેમજ રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં લોકપ્રિય ભજનીક પરસોતમપરી બાપુ, કથાકાર માધુરીબેન ગોસ્વામી (પોરબંદર વારા), રાજેન્દ્રગીરી ભવાનગીરી, નીતીશનાથજી પ્રવીણનાથજી, ભરતપુરી બાપુ, જયદીપભારથી ગીરધરભારથી (નાગેશ્વર જ્યોતિર્લિંગ) તથા જય ગોસ્વામીનું સન્માન લાલજીભાઈ ભુવા દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજને આવા સમૂહલગ્ન યોજીને મદદરૂપ થનાર સમિતિ અને તેમના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. આ સમિતિ દ્વારા ચોથી વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.