ચિંતન શિબિર પહેલા જ દ્વારકા કોંગ્રેસને મોટો ફટકો : બે નેતા ભાજપમાં જોડાયા

કોંગ્રેસનાં બે મોટા આગેવાનો ભાજપમાં જોડાતા દેવભૂમિ જિલ્લામાં કોંગ્રેસ છાવણીમાં સોંપો

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દ્વારકામાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેવા સમયે જ કોંગ્રેસના 2 મોટા આગેવાનો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

દ્વારકામાં આગામી 25 ફેબ્રુઆરીથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. અને આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે જ કલ્યાણપુર તાલુકાનાં કોંગ્રેસનાં બે મોટા નેતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા ગયા છે. જેમાં જીલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય લખુભાઈ ગોજીયા અને તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્ય ધરણાંતભાઈ કરંગીયા (મામા) ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.ભાજપમાં જોડાતા જ બન્ને આગેવાનોનું ભાજપમાં સાંસદ પૂનમબેન માડમ,પબુભા માણેક ઉપરાંત ભાજપ આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતુ.