દ્વારકાથી હર્ષદ માતાજીના મંદિર સુધી પદયાત્રાનું આયોજન

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાથી હર્ષદ માતાજીના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તથા હવન પણ રાખવામાં આવ્યો છે.અને માતાજીને થાળ ધરવામાં આવશે.

દ્વારકાના પ્રેમ પરિવાર દ્વારા તેમજ શાકમાર્કેટ, નીલકંઠ ચોક પરિવારના સાથ-સહકારથી હર્ષદ માતાજી(ગાંધવી) મંદિર સુધી આગામી તા.5 માર્ચના રોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.અને તા.6માર્ચના રોજ માતાજીના હવન અને થાળ રાખવામાં આવ્યા છે. આ ધાર્મિક આયોજનમાં જોડાવા સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રેમ પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.