ખંભાળિયામાં સૂફીસંત શંકરડાડાની પુણ્યતિથીની શુક્રવારે થશે ભાવભરી ઉજવણી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સુવિખ્યાત સૂફી સંત શ્રી શંકરડાડાની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં સંતવાણીના ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંત શ્રી શંકરડાડાની 34 મી પુણ્યતિથિ પ્રસંગે ખંભાળિયા દ્વારકા હાઈ-વે પર કુવાડીયા ગામના પાટિયા પાસે આવેલી સંત શ્રી શંકરડાડાની વાડી ખાતે રાત્રે સાડા નવ વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોકગાયક સાજીદ ખ્વાર, ભજનીક પ્રદીપ ગઢવી, સૂફી ગાયક અલ્તાફ પોશલા સાથે કલાકારો ભાર્ગવભાઈ જાની, જીગ્નેશભાઈ ગોસાઈ, અવિનાશ જેઠવા, શૈલેષભાઈ ચાવડા સહિતના કલાકારો ભજન-ધૂનની રમઝટ બોલાવશે.

એ પ્રસંગે સાંજે સાત વાગ્યે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મમય કાર્યક્રમોનો લાભ લેવાય ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.