સાઉથ વેસ્ટર્ન રેલવેમાં નોન ઈન્ટરલોકીંગ કામના કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ ડિવિજન માં આવેલ માલુગુર યાર્ડમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરાયેલા રૂટ કન્વર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

ટ્રેન નંબર 19568 ઓખા – તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ ગુંટકલ – કુડપ્પા – રેનિગુંટા – મેલપકકમ – જોલારપેટ્ટાઈ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર અને યેલહંકાનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 27મી ફેબ્રુઆરી, 6મી માર્ચ અને 13મી માર્ચ, 2022 ના રોજ જોલારપેટ્ટાઈ-મેલપકકમ-રેનિગુંટા-કુડપ્પા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલહંકા, હિન્દુપુર અને ધર્માવરમ નો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 27મી ફેબ્રુઆરી રોજ ગુંટકલ- કુડપ્પા-રેનિગુંટા-મેલાપક્કમ-જોલારપેટ્ટાઈ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી-અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 4 માર્ચના રોજ જોલારપેટ્ટાઈ-મેલપક્કમ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુત્તી નો સમાવેશ થાય છે.

મુસાફરોને ફેરફારોને સમયનો ઉપરોક્ત ફેરફાર ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય તે માટે અપીલ કરવામાં આવી છે.