ભાણવડ તાલુકામાં વેલનેસ સેન્ટર ખાતે સગર્ભામાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24મી તારીખના રોજ આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાણવડના મોડપર આરોગ્ય કેન્દ્રના ટીંબડી વેલનેસ સેન્ટર ખાતે પણ સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં અહીંની ક્રિશા હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. ભરત ગઢવી દ્વારા ઉપસ્થિત તમામ સગર્ભા માતાઓનું વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને લેબોરેટરી તપાસ કરી જરૂરી સગર્ભા માતાઓને દવાઓ પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તમામને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી અને ડિલેવરી પછી બીજું બાળક ન થાય એ માટે ઉપલબ્ધ ફેમીલી પ્લાનિંગની સેવાઓ વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સગર્ભા મહિલાઓને લાવવા તથા પરત ઘરે મુકવા માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખીલાટ એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડો. આશા કારાવદરા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રવિભાઈ ચાવડા અને મોડપર આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ તથા કેમ્પના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.