દ્વારકા ડેકલેરેશની જાહેરાત સાથે કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર સંપન્ન

દ્વારકા : દ્વારકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી.આજે દ્વારકા ડેકલેરેશનની જાહેરાત સાથે ત્રિદિવસીય ચિંતન શિબિર સંપન્ન થઈ હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા.25, 26, 27ના રોજ ત્રિદિવસીય પ્રદેશ સ્તરીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અનુસંધાને આજે તા.27ના રોજ બપોરે અખિલ ભારતીય આહીર સમાજ,ચરકલા રોડ,દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે “દ્વારકા ડેકલેરેશન” જાહેર કર્યું હતું.

આગામી વિધાનસભા કોંગ્રેસ પક્ષ એક બની પુરા જોશ ઝનૂન સાથે લડશે તેવી જાહેરાત કરી ત્રિદિવસીય ચિંતન શિબિરની કોંગ્રેસ માટે ખૂબ જ ફળદાયી રહી હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જાહેર કરાયુ હતું.