ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાગી નીકળી

(કુંજન રાડિયા) ખંભાળિયા : ખંભાળિયાના અતિ પ્રાચીન એવા શ્રી ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાગી) આજે સવારે નીકળી હતી. અત્રે વિજય ચોક ખાતેથી ખામનાથ મહાદેવની એક સદીથી વધુ જૂની પરંપરા મુજબની વરણાગી શહેરના જુદા જુદા માર્ગો પર નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ સાથે શિવભક્તો અને નગરજનો જોડાયા હતા.