સુરજકરાડી ખાતે વિશ્વેશ્વર મહાદેવની ચાર પહોરની આરતીનો લ્હાવો લેતા શિવભક્તો

(રીશી રૂપારેલિયા) દ્વારકા : મહાશિવરાત્રી નિમિત્તે સુરજકરાડી ખાતે વિશ્વેશ્વર મહાદેવની ચાર પહોરની મહાઆરતી કરવામાં આવી હતી.તેમજ ભક્તોને ભગવાન ભોળાનાથની પ્રસાદી આપવામાં આવી હતી.

મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથ શંકરના મંદિરોમાં બમ બમ ભોલેના નાદ સવારથી ગુંજી ઉઠયા હતા.ત્યારે ભાવિકોમાં તથા શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો.ત્યારે કોરોનાની મહામારીના બે વર્ષ બાદ લોકોને તહેવારો ઉજવવાની છુટ મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.સુરજકરાડી ખાતે આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિતે ભગવાન ભોળાનાથની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભાવિકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તથા મહાઆરતીનો લાભ લઇ અને ભગવાન ભોળાનાથની આરાધના કરેલી હતી.તથા ભગવાન શિવશંકરની ચાર પહોરની આરતીનો લ્હાવો લીધો હતો.