ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના કટિહાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : નોર્થ ફ્રન્ટિયર રેલવેના કટિહાર સ્ટેશન પર ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય બદલવામાં આવ્યો છે. 4 માર્ચથી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો કટિહાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય સાંજે 5:20/5:30 વાગ્યાના બદલે 5/17:10 નો કરવામાં આવ્યો છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.