સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 6 માર્ચ થી 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવાયા મુજબ જે ટ્રેનોને અસર થશે. તેની વિગતોમાં રદ કરાયેલી ટ્રેનોની યાદી અંતર્ગત ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 7 થી 10 સુધી, ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 8 થી તા. 11 સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા. 6 થી તા. 9 વચ્ચે ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ જ રીતે ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ભાવનગર માટે તા. 7 થી 10 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી તા. 7 થી 10 માર્ચ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર તા. 7 થી તા. 10 સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ તા.7 ના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ તા. 8 ના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

જ્યારે રીશેડ્યુલ કરેલ ટ્રેનમાં ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને તા.10 માર્ચના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય બપોરે 2 વાગ્યાના બદલે બે કલાક મોડી એટલે કે સાંજે 4.05 વાગ્યે ઉપડશે.

માર્ગમાં રેગ્યુલેટેડ ટ્રેનોમાં મંગળવાર તા. 08 ની ટ્રેન નંબર 22938 રીવા – રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી દોડશે.

ઉપરોકત દર્શાવેલી તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લ્યે જેથી કોઈ અસુવિધા ન થાય તેમ વધુમાં જણાવાયું છે.