ખંભાળિયાના જાણીતા તબીબ ડો. ઠક્કરના માતૃશ્રીનું નિધન

જામ ખંભાળિયા : સુરત નિવાસી સ્વ. રજનીકાંતભાઈ મંગલભાઈ ઠક્કરના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન રજનીકાંતભાઈ ઠક્કર (ઉ.વ. 81) તે જામ ખંભાળિયાના જાણીતા ફિઝીશીયન ડો. રાજેશભાઈ ઠક્કર, સુરત નિવાસી ડો. સુનિલભાઈ ઠક્કર તથા પ્રશાંતભાઈના માતુશ્રી તેમજ ડો. શિલ્પાબેન ઠક્કર (ગાયનેક- જામ ખંભાળિયા), ડો. મીનલબેન ઠક્કર (સુરત) અને ડો. કોમલબેન ઠક્કર (સુરત) ના સાસુ રવિવાર તા. 06ના રોજ અવસાન પામ્યા છે.