જામખંભાળિયાના તબીબના માતુશ્રીની આવતીકાલે પ્રાર્થનાસભા

(કુંજન રાડિયા) જામખંભાળિયા: સુરત નિવાસી સ્વ. રજનીકાંતભાઈ મંગલભાઈ ઠક્કરના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન રજનીકાંતભાઈ ઠક્કર (ઉ.વ. 81), તે જામ ખંભાળિયાના જાણીતા ફિઝીશીયન ડો. રાજેશભાઈ ઠક્કર, સુરત નિવાસી ડો. સુનિલભાઈ ઠક્કર તથા પ્રશાંતભાઈના માતુશ્રી તેમજ ડો. શિલ્પાબેન ઠક્કર (ગાયનેક- જામ ખંભાળિયા), ડો. મીનલબેન ઠક્કર (સુરત) અને ડો. કમલબેન ઠક્કર (સુરત) ના સાસુ રવિવાર તા. 06-03-2022 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 10-03-2022 ના રોજ સાંજે પાંચથી છ સુધી ખંભાળિયામાં પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે.